યુવા-સ્વર-૦૪

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

સવાલો જવાબો: ધ્રુવ મહેતા
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૧. શાસ્ત્રોની ગૂઢ વાતો ને સમાજની છેલ્લી વ્યક્તિ સુધી સચોટ રીતે પહોંચાડવા માટે સાહિત્ય સર્જન જરૂરી છે.

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૨. મારા મત મુજબ કવિતા એટલે એવા વિજ્ઞાનનું સર્જન કે જેના વડે આપડો તાર પરમ અસ્તિત્વ સાથે જોડાયેલો રહે. વાસ્તવિકતાને શબ્દોમાં મઠારીને સમાજ સમક્ષ લાવવી.
- વાર્તા એટલે નિચોડમાંથી નીકળતું તારણ, જે જીવન જીવવામાં ઉપયોગી બની રહે.
- નિબંધ એટલે એક જ વિષય નું દશે દિશાઓથી જોઇને કરેલું દ્રશ્યાંકન.
- નાટક એટલે આપણી જાતને અભિવ્યક્ત કરવી.

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૩. આ સમયમાં, ગઝલ, લઘુકથા, સાહસકથા તેમજ કોઇ પદાર્થની આત્મકથા કવિતા રૂપે લખવાનો નવો પ્રયાસ કર્યેા હતો.

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૪. ગુજરાતના તમામ સર્જકોમાંથી ખૂબ શીખવા મળે છે. એમાં પણ “ધૂમકેતુ” માંથી એક વાત જાણવા મળી છે. વાર્તામાં માત્ર બે પાત્ર રાખીને પણ વાચકોને જકડી રખાય છે.
વાર્તામાં વિરહ જોઇએ તો બે મુખ્ય પાત્રમાંથી એક પાત્રનું કોઇ કારણોસર અવસાન થવું રહ્યું. ચાહે પોસ્ટઓફીસમાં અલી ડોશો હોય કે જુમો ભિસ્તીમાં વેણુ પાડો હોય. “ધૂમકેતુ”માં આ અલગ વાત જોવા મળે છે. માટે પસંદ છે.

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૫. ભારતીય સર્જક વિક્રમ શેઠ.
વિશ્વ સાહિત્ય રચના “પોસ્ટઓફીસ’ સર્જકઃ “ધૂમકેતુ”

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૬. આ ઉંમર મુજબ જોઇએ તો ગુજરાતી સાહિત્યની ઘણી નજીક છું પણ આપણું સાહિત્ય તો સમુદ્ર કરતાં પણ વિશાળ છે માટે ઊંડાણ માં જવા માટે પૂરા પ્રયત્નો કરીશ.

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૭. મારા આદર્શ તરીકે વાસ્તવિકતા ને સામે રાખું છું.
તથા કવિ શ્રી સ્નેહિ પરમાર , કવિ શ્રી ભાવેશ ભટ્ટ પણ મારા માટે આદર્શ છે.

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૮. લખ્યા પછી હું સૌ પ્રથમ જે લખ્યું એ હું જ વાચું એ માટે કે જે ભાવ પ્રગટ કર્યેા છે એ વાંચક સમજી શકશે આ વાત ની ખાતરી થયા બાદ અનુભવી સર્જકો ને મોકલું સલાહ સૂચન અંગે.

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૯. કવિતાઓ અને ગઝલો વધારે પસંદ રહી છે.
સાગર ને ગાગર માં સમાવીને કરેલું નિરૂપણ ખૂબ શિખવે છે.

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?

૧૦. હું ડોકટર નો અભ્યાસ કરું છું માટે સમાજ સેવા એ મારો ધર્મ છે અને ગુજરાતીના નાતે સાહિત્ય સર્જન મારું કર્મ છે. પંચ મહાભૂતની સેવા દ્વારા જાત સજ્જ થઇ શકે છે.

- ધ્રુવ મહેતા