યુવા-સ્વર-૦૫

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

સવાલો જવાબો: ભવિ ગાંધી
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૧. હું ક. જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયમાં એમ. કોમ. કરી રહી છું. કોમર્સ ની વિદ્યાર્થિની હોવાથી સાહિત્ય વિશે ઊંડું જ્ઞાન નથી.

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૨. મેઘાણી, કલાપી, ચંદ્રકાંત બક્ષી, ધ્રુવ દાદા, વગેરે લેખકો વિશે સંશોધન પત્રો તથા પી.પી.ટી. પ્રસ્તુતિકરણ સ્પર્ધા વગેરે માટે અભ્યાસ કર્યો છે.

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૩. સર્જનમાં સાતત્ય નથી. પરંતુ વિચારો સતત ચાલુ રહે છે. જ્યારે એમ લાગે કે હવે તો આ કાગળમાં ઉતર્યા સિવાય નહીં ચાલે ત્યારે કલમ હાથમાં લઉં છું .

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૪. પ્રિય લેખક ધ્રુવ ભટ્ટ અને ઝવેરચંદ મેઘાણી છે. બંનેના સાહિત્યને વાંચ્યું છે અને તેમના સર્જનને જાણવા-સમજવાના પ્રયત્નો કર્યા છે.

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૫. હિંદી કવિતાઓમાં અને ગુજરાતી વાર્તા - નવલકથાઓમાં વધારે રસ છે.

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૬.

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૭. લખતી વખતે કોઈ બંધારણ વિશે જાણતી ન હોવાથી માત્ર મનને કોરા કાગળ પર ઉતારી લઉં છું.

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૮. પહેલાં મારી માને મારું સર્જન સંભળાવું છું. કારણ તે મારી પ્રેરણામૂર્તિ છે.

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૯.

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?

૧૦.

 

- ભવિ ગાંધી